|
વર્ષ ૨૦૦૩ માં માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા
ક્રાંતીવીર સ્વી. શ્યામજી કૃષ્ણ વર્મા અને
તેઓની ૫ત્ની ભાનુમતીબેનના
અસ્થિકુંભ જીનિવા
(સ્વીત્ઝર્લેન્ડ)થી ગુજરાતમાં લાવી લોકોના
દર્શન માટે
જિલ્લે જિલ્લે વીરાંજલી યાત્રા
કાઢી. આ અસ્થિકુંભને
છેલ્લે તેઓના માદરે
વતન માંડવી (કચ્છ) લઇ જવામાં આવેલ હતા. સ્વ.
શ્યામજી કૃષ્ણભ વર્માની યાદગીરીમાં મેમોરીયલ
બાંઘવા માટે તેમજ તેઓના આદર્શો અને
મૈલ્યોમાંથી યુવાપેઢી ભાવિ પેઢીને પ્રેરણા મળી રહે તે માટે ઉદેશો પાર પાડવા માટે સ્વ.
શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીની નોંઘણી કચ્છ-ભૂજ ખાતે તા. ૮ મી માર્ચ ૨૦૦૬ના રોજ કરવામાં
આવેલ છે.
મેમોરીયલ બાંઘકામ માટે કચ્છ
જીલ્લાના માંડવી ખાતે જમીન ફાળવવામાં આવેલ
છે. મેમોરીયલ બાંઘકામ માટે રાજય સરકાર તરફથી
નાણાની ફાળવણી કરવામાં આવેલ છે. મેમોરીયલ
બાંઘકામની નીચે પ્રમાણે કામગીરી કરેલ છે.
તા. ૪ થી ઓકટોબર ૨૦૦૯ ના રોજ માન.
મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શિલાન્યાસ વિઘિ
સં૫ન્ન થયેલ છે. તેના બીજા દિવસેથી મેમોરીયલ
બાંઘકામની કામગીરી શરુ કરી દેવામાં આવેલ છે.
મેમોરીયલમાં શરુમાં એન્ટ્રસ પ્લાઝા બાદ
વીરાંજલી ગેલેરી, એકઝીબીશન ગેલેરી, કાફેટેરીયા,
એમ્ફી થીયેટર, વોક વે, કાફેટેરીયા, ઇન્ડીગયા
હાઉસ વગેરે જેવા વિભાગો બનાવવાના છે. જેમાંથી
એન્ટ્રસ, વીરાંજલી ગેલેરી, એકઝીબીશન ગેલેરી,
કાફેટેરીયા, એમ્ફી થીયેટર, તથા કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ થયેલ છે. જયારે વોક વે,
કાફેટેરીયા, ઇન્ડીયા હાઉસનું કામ પ્રગતિમાં
છે.
આ મેમોરીયલની લોકાર્પણ વિઘિ
સ્વર્ણિમ
ઉજવણી વર્ષ ૨૦૧૦ માં હાથ ઘરવામાં આવશે.
૧. બાંઘકામમાં ઇન્ડીયા હાઉસ- પાયા ખોદાણ,
પીસીસી, આરસીસી, કોલમ |