|
આદિજાતિ
મહોત્સવ - ૨૦૦૯
સાબરકાંઠા
જિલ્લાના પવિત્રધામ ખેડબ્રહ્મા ખાતે રાજ્યના
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓં વિભાગ
અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા જિલ્લાના
સંયુક્ત ઉપક્રમે ગુજરાતનો ૧૭મો આદિજાતિ
મહોત્સવ - ૨૦૦૯ યોજાઈ ગયો. જેને રાજ્યના
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી, ફકીરભાઈ વાઘેલાએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો
હતો. આ મહોત્સવમાં ૪૨૦ યુવાનો અને ૧૮૭ યુવતીઓં
મળી એકંદરે ૬૦૭ કલાકારોએ પરંપરાગત કૃતિઓં રજુ
કરી હતી.
|